Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખંભોળજ-રાસનોલ નજીક પૈસાની બાબતે ચાર શખ્સોએ બેને લાકડીના ફટકા માર્યા

ખંભોળજ:ખંભોળજ-રાસનોલ રોડ ઉપર આવેલા જોગણી માતાના મંદિર પાસે ગઈકાલે સવારના સુમારે પૈસાની બાબતે ક્રીએટા કારમાં સવાર થઈને આવી ચઢેલા ચાર ભરવાડોએ બેને લાકડીઓથી માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ખંભોળજ વાંટામાં રહેતા ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાઉલજી ખંભોળજ ચરામાં રહેતા વિશાલ ઉર્ફે વાહણ વનાભાઈ ભરવાડ પાસે પૈસા માંગતા હોય તેની અદાવત રાખીને વિશાલ ઉર્ફે વાહણ, કરશનભાઈ ભરવાડ, રાજુભાઈ ભરવાડ તથા અન્ય એક શખ્સ ક્રીએટા ગાડીમાં લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને ધર્મેન્દ્રસિંહ તથા અન્યોને ગમે તેવી ગાળો બોલીને ધર્મેન્દ્રસિંહને માથાના ભાગે લાકડી મારીને ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે હિરેનભાઈ વચ્ચે પડતાં તેમને ડાબા હાથે કોણી પાછળ લાકડી મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. 

(5:35 pm IST)