Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વી.પી. પટેલ નવા ટ્રાન્સપોર્ટ કમિશનર, ગિર સોમનાથમાં ડી.ડી.ઓ.પદે રહેવર

અવંતિકા સિંઘ ટેકનિકલ શિક્ષણમાં: અશોક શર્મા મહિલા બાળ કલ્યાણમાં

ગાંધીનગર તા.૧૮: રાજય સરકારે આ છ એ.એસ.આઇ. કેડરના અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે.

યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના સચિવ વી.પી. પટેલને વાહન વ્યવહાર કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. ત્યાંથી આર.એમ. જાદવને બદલીને સેટલમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. વી.પી. પટેલ પાસે યુવા સેવા સાંસ્કૃતિક વિભાગનો વધારાનો હવાલો રહેશે. લાંબી રજા પરથી પરત આવેલા શ્રી મતી અવંતિકા સિંઘ ઓૈલખને ટેકનિકલ શિક્ષણ નિયામક પદે મુકવામાં આવ્યા છે. ગિર સોમનાથના ડી.ડી.ઓ. એ.એમ. શર્માને મહિલા બાળ કલ્યાણ નિયામક પદે અને વુડાના સી.ઇ.ઓ. પદેથી બદલી પામેલા ડી.બી. રહેવરને ગિર સોમનાથ ડી.ડી.ઓ. તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

(2:27 pm IST)