Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ નોંધાયા:વધુ 552 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 10,992 થયો : કુલ 12.52.910 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.09.112 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3012 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 367 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 552 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.52.910 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.992 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.89 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 3.09.112 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12.06.05.607 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3012 એક્ટિવ કેસ છે. જેમાંથી 17 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2995 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 367 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 138 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 37 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 21 કેસ,વલસાડમાં 18 કેસ,સુરત કોર્પોરેશનમાં 16 કેસ, કચ્છમાં 13 કેસ,સુરતમાં 12 કેસ,ગાંધીનગર કોર્પોરેશન,નવસારી અને રાજકોટમાં 9-9 કેસ, જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, ગાંધીનગર અને વડોદરામાં 7-7 કેસ,અમરેલી, આણંદ  અને પંચમહાલમાં 6-6 કેસ, ભરૂચ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ, બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા,અને જામનગરમાં 4-4 કેસ, અમદાવાદ, મહીસાગર અને સાબરકાંઠામાં 3-3 કેસ,ભાવનગર કોર્પોરેશન, પાટણ અને પોરબંદરમાં 2-2 કેસ, દાહોદ,ખેડા અને મોરબીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:28 pm IST)