Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ઓલપાડના બરબોધનમાં ગોડાઉનમાં ભીષણ આગ :ડાંગરની 400 બોરીઓ બળીને ખાખ

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા બરબોધન ગામ ખાતે સેવા સહકારી મંડળીના ડાંગરના ગોડાઉનમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. આગને કારણે ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલો ૪૦૦૦થી વધુ બોરી ડાંગરનો જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો
  . ગોડાઉનની બાજુમાં આવેલા જળ માતાજીના મંદિરના પુજારી દ્વારા ગોડાઉનના સંચાલકને જાણ કરવામાં આવતા નજીક આવેલી રામા પેપર મિલ તેમજ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો.
   આગ લાગવાની ઘટના બાબતે મંડળીના પ્રમુખ અને માજી ધારાસભ્ય ધનસુખ પટેલે રામા પેપર મિલ પર રોષ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વહેલી સવારે રામા પેપર મિલના ફાયર વિભાગને જાણ કરવા છતાં તેમણે સમયસર ફાયર ટીમ નહિ મોકલી જેમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ હતી.

(11:41 pm IST)