Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમદાવાદના ગોમતીપુરમાં મેટ્રોરૂટનું મકાન બેસી જતા આસપાસના 20 મકાનો ખાલી કરાવાયા

મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે

અમદાવાદના ગોમતીપુરમાં એક મકાન બેસી જતા આસપાસના 20 મકાનોં સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવાયા છે મોડી સાંજે શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા આસપાસના ૨૦ મકાનો ખાલી કરાવવા પડ્યા છે. આ ઘટનાની જાણ થતા મેટ્રોના અધિકારીઓ દોડી ગયા છે.

  ગોમતીપૂરના સિલ્વર ફ્લેટ નજીક જમીન બેસી જવાના કારણે મેટ્રોના અધિકારીઓ દોડી ગયા છે. તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસના ૨૦ જેટલા મકાનો ખાલી કરાવી દીધા છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

  આ ઘટના વિશે જ્યારે સ્થાનિક લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, વરસાદના કારણે જમીન બેસી જવાના કારણે મેટ્રોના અધિકારીઓ દોડી આવ્યા હતા રાતથી ૨૦ ઘરના પરિવારો બેઘર બન્યા છે. તેમને ૧૦.૩૦ વાગ્યા પછી ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા.શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડી રહ્યા છે.

(6:46 pm IST)