Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કેરળમાં પૂરપીડિતોની સહાય માટે સુરત ફાયરબ્રિગેડની ટીમ રવાના :ચાર ટીમમાં 19 તરવૈયા અને અધિકારી કાર્ગો પ્લેનમાં પહોંચશે

કેરળમાં ભારે પૂરથી ઉભી થયેલી વિકટ પરિસ્થિતીમાં મદદ માટે ગુજરાતે પણ હાથ લંબાવ્યો છે. સુરતની ફાયર બ્રિગેડની ટીમ કેરળ રવાના થઇ છે  ફાયરની ચાર ટીમ કેરળમાં બચાવ અને રાહત કામગીરી માટે જઇ રહી છે.જેમાં 19 તરવૈયા, એક અધિકારીનો સમાવેશ થાય છે.

  આ ટીમ ચાર એન્જિન સાથેની રબર બોટ, એક ટેન્ક સહિત બચાવ કામગીરીના સાધનો સાથે રવાના થઇ છે. સુરતથી અમદાવાદ અને ત્યારબાદ કાર્ગો પ્લેન મારફતે આ ટીમ કેરળ જવા રવાના થઇ રહી છે.

(1:09 pm IST)