Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમદાવાદમાં સરદારનગરમાં ફાયરિંગના આરોપીઓનું જાહેરમાં સરઘસ કઢાયુ

 

અમદાવાદ. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં શુક્રવારે પોલીસે ફાયરિંગ કેસના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. અન્ય ગુનેગારો બોધપાઠ મેળવે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેના હેતુ માટે પોલીસે આરોપીઓને જાહેરમાં ફેરવ્યા હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં આરોપીઓએ ફરિયાદી સાથે ધંધા માટે બોલાચાલી થતાં ધમકી આપીને 10 લાખની ખંડણી માગી હતી. આરોપીઓ આટલેથી અટક્યા હતા અને બીજા દિવસે તેઓ ફરિયાદીને ત્યાં ફરી પહોંચી ગયા હતા અને તેને ડરાવવા માટે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું

(10:26 pm IST)