Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મહેસાણાના કુંડાના શહીદ જવાન ઠાકોર પ્રવિણજી પ્રધાનજીને અમદાવાદ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ અર્પતા મુખ્યમંત્રી રૂપાણી

દિલ્હીથી પરત આવતા મુખ્યમંત્રી એરપોર્ટ પર વીર શહીદ જવાનના પાર્થિવદેહને ભાવાંજલિ અર્પવા રોકાયા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ માતૃભૂમિ  માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી મહેસાણા જિલ્લાના કુડાના  ઠાકોર પ્રવિણજી પ્રધાનજીના પાર્થિવ દેહને અમદાવાદ હવાઈ મથકે લવાયો ત્યારે સંવેસભર શ્રધાંજલિ અર્પણ કરી હતી

  મુખ્યમંત્રી  નવી દિલ્હીથી પરત આવી એરપોર્ટ પર ઉતર્યાને તેમને જમ્મુ કાશ્મીરમાં લેહ ખાતે વિરગતી પામેલા આ વીર શહીદના પાર્થિવ દેહને  વતન લઇ જવા માટે અમદાવાદ હવાઈ મથકે લવાયો છે તેની જાણ થતાં જ તેઓ સીધા જ આ વીર જવાન ને ભાવાંજલી આપવા  રોકાઈ ગયા હતા

    વિજયભાઈ રૂપાણી એ   દેશ માટે ફના થઇ જનારા આ સેનાની ને પુષ્પાંજલિ  કરી યથોચીત અંજલિ આપી હતી

  ભારતીય સેનાના અમદાવાદ સ્થિત વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર સિંગ અને અન્ય સેના અધિકારીઓ જવાનો એ આ વીર જવાન ને વિરોચીત સન્માન આપ્યું હતું

(9:38 pm IST)