Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

નડિયાદના ડભાણ ગામે અગમ્ય કારણોસર 69 વર્ષીય વૃધ્ધે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

નડિયાદ:તાલુકાના ડભાણ ગામમાં રહેતાં બાબુભાઈ શંકરભાઈ પરમાર (ઉં.વ ૬૯) આજરોજ સવારના સમયે કોઈ કારણોસર નડિયાદ રેલવે સ્ટેશન અપલાઈન પાસે ટ્રેક પરથી પસાર થતી હાપા-વિલાસપુર એક્સપ્રેસ ટ્રેનની નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ રેલવે પોલીસને થતાં તેમણે ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી હતી. વૃધ્ધે કયાં કારણોસર આપઘાત કર્યો તે હજી બહાર આવ્યું નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

(5:28 pm IST)