Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ગાંધીનગરને નિશાન બનાવી તસ્કરોએ બંધ મકાનના તાળા તોડ્યા: 75 હજારની મતાની ઉઠાંતરી

 ગાંધીનગર: શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે તસ્કરોએ શહેર નજીક આવેલા વાવોલમાં બંધ મકાનનું તાળું તોડી તેમાંથી ૭પ હજારની મત્તા ચોરી લીધી હતી. જ્યારે સે-ર૬ કિસાનનગરમાં પણ તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી ૮૦ હજાર ઉપરાંતની ચોરી કરી હતી. રાજસ્થાન પાર્સીંગની કારમાં તસ્કરો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે આ વિસ્તારમાં હવે પોલીસ પેટ્રોલીંગ પણ વધારવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે. શહેર નજીક આવેલા વાવોલમાં શિવેશ ૧૯પના ફલેટ નં.એ/૩૦રમાં રહેતાં મૃગેશ લક્ષ્મણભાઈ મહેરીયા તેમનું મકાન બંધ કરીને ઓફીસ જવા નીકળ્યા હતા અને તેમની માતા ગુરૂપૂનમ હોવાથી દર્શને ગયા હતા. 

(5:24 pm IST)