Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મહાનગરોના મેળામાં તપાસના આદેશઃ બેદરકારી- ગેરરીતિ સામે કાર્યવાહી કરાશે

કાંકરીયા રાઈડ તૂટવાના બનાવને પગલે

અમદાવાઃ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ગોઝારી દ્યટના બાદ રાજય સરકાર હવે સાચે જ જાગી ગઈ હોય તેવું લાગે છે ! મહાનગરોમાં ચાલતા આનંદ મેળામાં તપાસના આદેશ આપ્યા છે. કોઇ બેદરકારી કે ગેરરીતિ સામે આવે તો કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.જેના પગલે સુરત મનપા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના રાંદેર સ્થિત ઉગત રોડ પર આવેલા બોટનીકલ ગાર્ડનમાં ચાલતી તેત્રીસ જેટલી રાઈડો સર્ટીફિકેટ વગર ચાલતી હોવાનુ જણાતા સીલ કરી દેવાઈ છે. રાઇડના સંચાલકોને જણાવાયુ હતું કે રાઈડની એન.ઓ.સી કઢાવ્યા બાદ ફરીથી કાર્યરત કરી શકાશે.

(11:18 am IST)