Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નડિયાદમાં રેલવેના બે અપમૃત્યુના બનાવ પોલીસના ચોપડે નોંધાયા

નડીઆદ: રેલવેમાં અપમૃત્યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. મધ્યપ્રદેશ આધેડ પુરુષ કીડની સારવાર માટે નડિયાદ આવતો હતો ત્યારે તેનું ટ્રેનમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે નેનપુર-કનીજ વચ્ચે ટ્રેનમાંથી પડી ગયેલ મુસાફર મૃત હાલતમાં મળી આવેલ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગતમુજબ મધ્યપ્રદેશના રેવા જિલ્લાના સંજયનગરમાં રહેતા સુનીલ પ્રસાદ અનંત પ્રસાદ શુક્લા કીડનીની બીમારીથી પીડાતા હોઈ જેમની નડિયાદ કીડની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ગઈકાલે રાત્રે તેઓ નડિયાદ કીડની હોસ્પિટલમાં સારવાર કરાવવા ઘરેથી પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. આ દરમ્યાન આજે સવારે ૭:૪૫ કલાક પહેલા નડિયાદ નજીક બિકાનેર-બાંદ્રા ટે્રનમાં સુનિલપ્રસાદ શુક્લા (ઉંમર ૫૧ વર્ષ) નું મોત નીપજ્યું હતું. 
આ ઉપરાંત નેનપુર-કનીજ વચ્ચેથી પસાર થતી ટ્રેનમાં મુસાફરી કરતો યુવાન મધરાત્રે ચાલુ ટ્રેનમાંથી પડી જતા કપાઈ ગયો હતો. જેથી અજાણ્યો યુવાન (ઉંમર આશરે ૩૫ વર્ષ)ની ઓળખ થઈ નથી. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(4:52 pm IST)