Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તો માટે અમદાવાદ, રાજકોટ અને દક્ષિણમાં રાહત કંટ્રોલ રૂમ

પૂર્વ આયોજનમાં સરકારની ભયંકર બેદરકારી : અમિત ચાવડા

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલ ભારે વરસાદની સ્થિતી ધ્યાને લઇ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પ્રજાર રાહત કાર્ય માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની યાદીમાં જણાવાયુ છે કે સતત વરસતા વરસાદથી રાજયના અનેક વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા છે. સેંકડો લોકો ફસાયા છે. ખેડુતોને પણ કરોડોના નુકશાન થયાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે સરકાર આગોતરી વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. રાજયમાં ૨૮ લોકોના જીવ સરકારની બેપરવાહીથી હોમાય ગયા છે.

ત્યારે લોકોની પડખે રહેવાની ભાવનાથી કોંગ્રેસ દ્વારા તુરંત રાજકોટ, સુરત અને અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમો શરૂ કરી દેવાયા છે.

આ માટે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ફોન ૦૭૯ ૨૬૫૮૫૦૯૯, સતીષભાઇ પંડયા કોંગ્રેસ મંત્રી મો.૯૮૨૫૩ ૭૩૫૨૨, અમૃતભાઇ પંડયા પ્રદેશ કોંગ્રેસ મંત્રી મો.૯૩૨૮૯ ૦૭૩૭૨, કિરણભાઇ પ્રજાપતિ, મુખ્ય સંગઠક સેવાદળ અમદાવાદ મો.૮૪૦૧૫ ૭૧૩૭૩ નો સંપર્ક કરી શકાશે.

રાજકોટમાં (સૌરાષ્ટ્રના જીલ્લાઓ માટે) હિતેશભાઇ વોરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મો.૯૯૨૪૮ ૨૭૨૭૬, હેમાંગભાઇ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મો.૯૮૨૪૦ ૪૧૫૧૪, મહેશભાઇ રાજપુત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મો.૯૮૨૪૪ ૦૮૦૦૪ નો સંપર્ક કરી શકાશે.

જયારે સુરતમાં (દક્ષિણ ગુજરાત માટે)  હસમુખભાઇ દેસાઇ, પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ મો.૯૮૨૫૧ ૧૫૨૦૫, પ્રફુલભાઇ તોગડીયા મહાનગરપાલીકા નેતા મો.૯૮૭૯૩ ૧૦૪૬૫, યોગેશભાઇ પટેલ મુખ્ય સંગઠક સેવાદળ સુરત મો.૯૮૭૯૫ ૨૯૪૧૭, શંભુભાઇ દેસાઇ, પૂર્વ પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ મો.૯૪૨૬૧ ૬૬૬૦૧ નો સંપર્ક કરી શકાય છે. તેમ અમિતભાઇ ચાવડાએ જણાવેલ છે. (૧૬.૨)

(11:52 am IST)