Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વહેલી સવારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં મકાન ધરાસાયી : પાંચ લોકો દટાયા : એકનું મોત

ભરૂચ: શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરની બાજુમાં રહેતા પરિવારનું મકાન અચાનક ધરસાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે પાંચ લોકો દબાતા બુમરાણને પગલે સ્થાનિકોમાં નાસ ભાગ મચી હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાંથી ચાર લોકોને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

 ભરૂચના ફાંટા તળાવ વિસ્તારોમાં મહાદેવ મંદિરની બાજુના મકાનમાં રહેતાં કિશોર રાણાની બાજુમાં આવેલા મકાનની દિવાલ ગત રાતે ૩:૩૦ કલાકના અરસામાં કિશોર રાણાના મકાન પર પડ્યું હતું. ધડાકાભેર અવાજ થતાં કિશોર રાણા અને તેમના પત્નિ કોકિલાબેન વહેલાં ઉઠી ગયા હતા. અચાનક મકાન હલતાં કિશોર રાણાએ બુમાં બુમ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

(10:44 am IST)