Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પંચમહાલના કાલોલના મલાવમાં પશુઓ ચરાવવા ગયેલા કિશોરનું તળાવમાં ડૂબી જતા કરૂણમોત

કિશોરનો પગ લપસી જતાં તળાવના પાણીમાં પડી ગયો : ફયર બ્રિગેડ ટીમે મૃત હાલતમાં બહાર કાઢયો

કાલોલના મલાવમાં પશુઓ ચરાવવા ગયેલો 11 વર્ષીય કિશોરનો પગ લપસી જતાં તળાવના પાણીમાં ખાબક્યો હતો. જેને ભારે જહેમત બાદ કાલોલ ફયર બ્રિગેડ ટીમે મૃત હાલતમાં બહાર કાઢયો હતો.પાટુવાડાના કિશોરનું અકાળે મોત થતાં જ પરિવારના હૈયાફટ કલ્પાંતને લઈ વાતાવરણ શોકમય બની ગયું હતું.

(12:38 pm IST)