Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ગાંધીનગર નજીક રાયપુરની કેનાલમાં સાણોદાના વૃધ્ધે અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર:શહેર નજીક આવેલી રાયપુર નર્મદા કેનાલમાંથી આજે સવારના સમયે દહેગામ તાલુકાના સાણોદા ગામમાં રહેતા વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વૃધ્ધ છેલ્લા ૩ દિવસથી લાપતા હતા આ અંગે ડભોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. આ વૃધ્ધે કયાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે શહેર નજીક આવેલી રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે સવારના સમયે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે ડભોડા પોલીસને જાણ કરવામાં અવતાં જમાદાર વેલજીભાઇ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતાં આ વૃદ્ધ દહેગામ તાલુકાના સાણોદા ગામના રહેવાસી ૫૮ વર્ષિય રણજી ચંદુજી ચૌહાણ હોવાનું જણાયું હતું. જેથી તેમના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરિવારોજનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જેથી આ સંદર્ભે ડભોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ વૃધ્ધે ક્યાંકારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. ત્રણ દિવસ અગાઉ વૃધ્ધ ઘરેથી નિકળી ગયા હતા અને તેમના પરિવારજનો દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃધ્ધે બિમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે.
 

(5:49 pm IST)