Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દિયોદર-ભાભર રેલવે લાઈન નજીક પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂક્યું

દિયોદર:દિયોદર-ભાભર તરફ જતી રેલવે લાઈન ઉપર આજે બપોરના સમયે કોઈ અજાણ્યા પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. જેમાં રેલવે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે. પાલનપુરથી ભુજ તરફ જતી પેસેન્જર ગાડી આજે દિયોદર પહોંચી ભાભર તરફ જવા રવાના થઈ હતી. ત્યારે દિયોદરથી થોડે દૂર એક યુવતિ અને યુવકે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુક્યું હતું. જેમાં ઘટના સ્થળે બન્નેના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા આજુબાજુમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે રેલવે ગેટમેન પણ દોડી આવી રેલવે પોલીસ ભીલડીને જાણ કરતા રેલવે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં બન્ને મૃતદેહને પી.એમ. અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બન્ને યુવક-યુવતિ પ્રેમી-પંખીડા હોવાનું દેખાઈ રહ્યું છે.   રેલવે પોલીસ દ્વારા બન્ને મૃતકની ભાળ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. જેમાં દિયોદર પોલીસે એડી ગુનો નોંધી તપાસ કરી રહી છે.
 

(5:48 pm IST)