Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

નડિયાદ તાલુકાના વડતાલમાં ઝેરી જંતુ કરડી જતા કિશોરનું સારવાર દરમ્યાન મોત

નડિયાદ: તાલુકાના વડતાલમાં કિશોરને ઝેરી જંતુ કરડતા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં કિશોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વડતાલ કચ્છ ફળિયામાં રહેતા સુનિલભાઈ ગલાભાઈ પરમારને ગઈકાલે સાંજે પોતાના ઘરમાં ભરાઈ રહેલ કોઈ ઝેરી જંતુ જમણા હાથની પહેલી આંગળી ઉપર કરડ્યું હતું. જેથી ઝેરની અસર થતા સુનિલ (ઉંમર ૧૨ વર્ષ)ને તુરંત જ સારવાર માટે ચાંગા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સુનિલ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. 
આ બનાવ અંગે ચાંગા ચારૂસેટના ડો. સાગર પટેલે જાણ કરતા ચકલાસી પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:46 pm IST)