-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
અમેરિકામાં એકજ દિવસમાં 1500થી વધુ ફ્લાઈટ્સ રદ થઇ હોવાની માહિતી access_time 6:39 pm IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
હવે ‘દયાબેન'ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનના નામની ચર્ચા access_time 11:45 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
હાર્દિક પટેલ અંગે ભાજપ નેતા વરુણ પટેલના નિવેદન મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું- પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય ફાઇનલ હશે
સાંસદ વસાવાએ કહ્યું કે વરુણ પટેલથી પાર્ટી ચાલતી નથી: હાર્દિક પટેલ શક્તિશાળી યુવા નેતા છે: ઘણા કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે હજુ પણ જોડાવાના છે.

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું, સી.આર.પાટીલ જે નિર્ણય કરશે તે જ ફાઇનલ રહેશે. મનસુખ વસાવાએ કહ્યું કે હાર્દિક પટેલ શક્તિશાળી યુવા નેતા છે. હવે હાર્દિક પટેલે નિર્ણય લેવાનો છે કે કઈ પાર્ટીમાં જવુ. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે નહીં તે ગુજરાત પ્રદેશ ભાજપ નિર્ણય લેશે. વરુણ પટેલે આપેલા નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે વરુણ પટેલથી પાર્ટી ચાલતી નથી. સી.આર.પાટીલ જે નિર્ણય કરશે તે જ ફાઇનલ રહેશે. ઘણા કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે હજુ પણ જોડાવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકના રાજીનામા પર ભાજપ નેતા વરુણ પટેલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે, ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી. ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતા કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે.બાકી જેને જયાં જવું હોય ત્યાં જઈ શકે છે.