Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ભારે પવન :તિથલ બીચ પાસે આવેલ સ્વામિનારાયણ મંદીર માર્ગ પાસે પાંચથી વધુ વ્રૂક્ષો ધ્વસ્ત:તૌક્તે વાવાઝોડાએ અનેક વ્રૂક્ષોનો ભોગ લીધો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં આજે દિવસભર તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ હતી. વલસાડના તિથલ દરિયા કિનારે આજે દિવસભર તોફાની પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે તોફાની પવનમાં અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા. તેવા સમયે તિથલના દરિયા કિનારે આવેલા જાણીતા સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તા પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જેને કારણે માર્ગના વાહન વ્યવહારને અસર થઈ હતી.આમ વલસાડ જિલ્લામાં વાવાઝોડા કારણે અને વિસ્તારોમાં નુકશાની ના દ્રશ્યો સામે આવી રહ્યા છે

(8:39 pm IST)