Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજ્યમાં કોરોનાના વળતા પાણી : નવા 6447 કેસ નોંધાયા : વધુ 9557 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 67 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 9269 થયો : કુલ 6,60.489 લોકોએ કોરોનાને હરાવ્યો: રિકવરી રેઇટમાં સતત વધારો

અમદાવાદમાં 1895 કેસ, વડોદરામાં 639 કેસ, સુરતમાં 466 કેસ, જૂનાગઢમાં 341 કેસ, રાજકોટમાં 290 કેસ, જામનગરમાં 244 કેસ,આંણદમાં 214 કેસ,અમરેલીમાં 186 કેસ,મહેસાણામાં 184 કેસ, સાબરકાંઠામાં 182 કેસ,પંચમહાલમાં 168 કેસ,ગાંધીનગરમાં 143 કેસ,ખેડામાં 142 કેસ,ભરૂચમાં 141 કેસ, પોરબંદરમાં 108 કેસ, કચ્છમાં 97 કેસ,પાટણમાં 96 કેસ,અરવલ્લીમાં 93 કેસ નોંધાયા: હાલમાં 96,443 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 6447 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 9557 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 6447 કેસ નોંધાયા છે જયારે વધુ 9557 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 6,50,932 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 81 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9202 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 86,20 ટકા થયો છે

     રાજ્યમાં હાલ 96,443 એક્ટિવ કેસ છે, જેમાંથી 755 લોકો વેન્ટિલેટર પર અને 95688 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6,60,489 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

    રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 6447 કેસમાં અમદાવાદમાં 1895 કેસ, વડોદરામાં 639 કેસ, સુરતમાં 466 કેસ, જૂનાગઢમાં 341 કેસ, રાજકોટમાં 290 કેસ, જામનગરમાં 244 કેસ,આંણદમાં 214 કેસ,અમરેલીમાં 186 કેસ,મહેસાણામાં 184 કેસ, સાબરકાંઠામાં 182 કેસ,પંચમહાલમાં 168 કેસ,ગાંધીનગરમાં 143 કેસ,ખેડામાં 142 કેસ,ભરૂચમાં 141 કેસ, પોરબંદરમાં 108 કેસ, કચ્છમાં 97 કેસ,પાટણમાં 96 કેસ,અરવલ્લીમાં 93 કેસ નોંધાયા છે ,

(7:55 pm IST)