Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આપત્તિ સમયના શૂરવીરો: એન.ડી.આર.એફ.ની હરહંમેશ સરાહનીય બચાવ કામગીરી :તાઉ’ તે વાવાઝોડાની વર્તાઇ રહેલી તમામ અસરો સામે બચાવ કામગીરી કરતા જવાનો

ઓછા સમયમાં અસરકારક કામગીરી કરી બચાવ કામગીરી કરવાનો મુખ્ય ઉદ્દેશ: રાઉન્ડ ધ ક્લોક બચાવ કામગીરી

અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાથી અસર થયેલ ગ્રામ્ય વિસ્તારોમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા અસરકારક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધોલેરા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તાર થી લઇ વાવાઝોડાની મહત્તમ અસર વર્તાઇ હોય તેવા સ્થળોએ એન.ડી.આર.એફ. ના જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરીયાકાંઠાના ગામોને એલર્ટ કરીને અસરગ્રસ્તોને સલામત સ્થળે શેલ્ટર હોમમાં ખસેડવાની  કામગીરી હાથ ધરાઇ હોય ત્યારે એન.ડી.આર. એફ ના જવાનો લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત છે.
ધોલેરા અને ધંધૂકામાં વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકો રહેતા હોય તેવા સ્થળોએ જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી જવાનો દ્વારા પેટ્રોલીંગ કરીને તેઓને સલામત સ્થળે ખસેડવાની રાહતકામગીરી હાથ ધરવામાં આવી હતી.
વાવાઝોડાની તીવ્ર અસરના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવો, ઝાડ પડી જવા, મકાન ધરાસાયી થઇ જવા, ભયજનક સ્થાને માણસો અટવાઇ જવાની ઘટનામાં એન.ડી.આર.એફ.ના જવાનો વિના વિલંબે સધન બચાવ કામગીરી હાથ ધરીને જનક્લાયણનું ભગીરથ કાર્ય કરે છે.
અમદાવાદ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત ધોલેરા અને ધંધૂકા વિસ્તારમાં એક – એક એન.ડી. આર.એફ.ની ટૂકડી રાહત અને બચાવકામગીરી માટે કાર્યરત કરવામાં આવી છે. એક ટૂકડીમાં અંદાજિત ૨૫ જેટલા જવાનો એકજૂથ થઇને વિવિધ કામગીરી નો કારભાર સંભાળી રહ્યા છે.  
અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી કે માનવસર્જિત ઘટના દરમિયાન આપત્તિ સમયે એન. ડી. આર.એફ. ની ટીમ દ્રારા ઓછા સમયમાં અસરકારક કામગીરી કરી બચાવ કામગીરી કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.

(7:42 pm IST)