Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રાજ્યના ખેડૂતો નકલી બિયારણોથી છેતરાય નહિ એટલા માટે રાજ્ય સરકાર સતર્ક રહી દરોડા પાડે છે

વડોદરા :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાતરના કોઇ કૌભાંડ થયા જ નથી. રાજ્યના ખેડૂતો નકલી બિયારણથી છેતરાય નહિ તે માટે રાજ્ય સરકાર સતર્ક રહી આવા નકલી બિયારણો – હલકી ગુણવત્તાના બિયારણો વેચનારાઓ પર દરોડા પાડીને તેમને કડક સજા કરે છે.  શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરામાં પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતાં આમ જણાવ્યું હતું.

   મુખ્યમંત્રીએ  ઉમેર્યુ કે, રાજ્ય સરકાર પોતે જ ખાતર અને ખેડૂતોના પ્રશ્ને સતર્ક અને સજાગ છે. ખેડૂતો નકલી બિયારણથી ભવિષ્યમાં પણ છેતરાય નહિ એનો પાક નિષ્ફળ ન જાય એ માટે રાજ્ય સરકાર પોતે આવા નકલી બિયારણો વાળા લોકોને ખૂલ્લા પાડવાની કામગીરી સતત કરતી જ રહે છે.

(11:24 pm IST)