Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હિંમતનગરના કેશરપુરાના ખેડૂતે વ્‍યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઇને આપઘાત કર્યો

હિંમતનગરઃ કોઈનો કોઈ કારણથી રાજ્યમાં ખેડૂતોના આપઘાતનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. હવે હિંમતનગરના કેશરપુરા ગામના એક ખેડૂતો આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે કેશરપુરા ગામના એક ખેડૂતો જેવી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. ખેડૂતો વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ખેડૂતો દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

(6:24 pm IST)