Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આણંદ નજીક વિદ્યાનગરમાં યુવતીની છેડતી કરનાર મિત્ર સહીત સાગરીતને ઢોર માર મારવામાં આવ્યો

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરમાં પરમદિવસની રાત્રીના સુમારે યુવતીની છેડતી કરનાર અને તેના મિત્રને વાંસના ડંડાથી માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે વિદ્યાનગર પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૫મી તારીખના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે હાર્દિકભાઈ અશોકભાઈ વસાવાએ રાહુલ નામના યુવાનને ફોન કરીને નાના બજાર ખાતે આવેલા વહાણવટી માતાના મંદિર પાસે બોલાવ્યો હતો. જેથી રાહુલ ત્યાં જતા હાર્દિકની સાથે તેનો ભાઈ મિલનભાઈ અશોકભાઈ વસાવા, પ્રદિપ દરબાર તથા પાર્થ ઉર્ફે કપચી સોલંકી પણ હાજર હતા. હાર્દિકે તુ મારી બહેનની છેડતી કરે છે તેમ જણાવીને વાંસના ડંડાથી માર મારવાનું ચાલુ કરી દીધું હતુ. જેથી નજીકમાં ગેરેજ ધરાવતા જાવેદખાન સાબીરખાન પઠાણ છોડાવવા વચ્ચે પડતાં ચારેય જણા તેને મારવા લાગ્યા હતા જેથી તે દોડીને પોતાના ગેરેજમાં જતો રહ્યો હતો. દરમ્યાન ચારેય જણાએ ગેરેજમાં આવીને ગમે તેવી ગાળો બોલીને રાહુલને તુ કેમ છોડાવવા પડ્યો છુ તેમ જણાવીને આજે તો તને જીવતો જવા દેવો નથી તેમ જણાવીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી પ્રદિપ દરબારે વાંસનો ડંડો જાવેદખાનના બરડામાં મારી દીધો હતો. મિલન અને પાર્થે પણ વાંસના ડંડાથી માર મારીને ઈજાઓ પહોંચાડી હતી હાર્દિકે નજીકમાં પડેલો સીમેન્ટનો બ્લોક ઉઠાવીને કપાળમાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો.

ભારે બુમબરાડા થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાથી છોડાવીને ગંભીર રીતે ઘવાયેલા જાવેદખાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

(5:42 pm IST)