Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

નર્મદા જિલ્લામાં રવિવારે કોરોના ભુકંપ : ૪૨ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૬૭૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સંતોષ નગર માં ૦૧, હાઉસિંગ બોર્ડમાં ૦૧, ચંદ્રવિલામાં ૦૧, રાજપીપળામાં ૦૧, મચ્છી માર્કેટમાં ૦૧, સોનીવાડમાં ૦૧ તથા નાદોદના ધાનપોર માં ૦૧, પોઇચા માં ૦૧, લાછરસમાં ૦૧, તારોપામાં ૦૧, વડીયામાં ૦૨ તથા ગરુડેશ્વર ના અંકતેશ્વરમાં ૦૧, કેવડિયામાં ૦૧, ફૂલવાડી માં ૦૧, ખડગદા માં ૦૨ તથા તિલકવાડા માં ૦૧, ગણસિંડામાં ૦૧, આલમપુરા માં ૦૧ તથા ડેડીયાપાડા ના આંબાવાડીમાં ૦૧, સિયાલી માં ૦૧, મોટા મંડાળામાં ૦૧, મોસકુવા માં ૦૧, સાબુટીમાં ૦૧, દેડિયાપાડામાં ૦૧, ઘાટોલી માં ૦૧, કુંડીઆંબા માં ૦૧, બોગજ માં ૦૧ તથા સાગબારા માં પાટલામહુમાં ૦૨, મોટી પરોઢીમા ૦૧, સેલંબા માં ૦૩, ઘનસેરામા ૦૧, કનખાડીમાં ૦૧, સાગબારા મા ૦૧, બોરડીફળીમાં ૦૨, કુઇદામાં ૦૧, સોરાપાડા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૭૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૮ દર્દી દાખલ છે, આજે ૩૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૪૮૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૬૭૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૬૨૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:08 pm IST)