Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ધમણાચા ગામના કરજણ નદી પાર કરતા વ્યક્તિ ઊંડા પાણીમાં તણાઈ જતા તેનો મૃતદેહ ભદામ ઓવરે મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ધમણાચા ગામનો શખ્સ નદી પાર કરતા પાણીમાં ગરકાવ થયા બાદ તેનો મૃતદેહ ભદામ ગામના કિનારે મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના ધમણાચા ગામના કનુભાઈ ભંગાભાઈ વસાવા ગઈ તા .૧૧ / ૦૪ / ૨૦૨૧ ના રોજ સાંજના છ એક વાગ્યાના અરસામાં કરજણ નદિ પાર કરતો હતો તે વખતે નદિના ઉડા પાણીમાં તણાઈ ડુબી જતા તેનો મૃતદેહ તા.૧૭ એપ્રિલે કરજણ નદિના કિનારે ભદામ ગામના ઓવારા પાસે મળતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:05 pm IST)