Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

કાલથી વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરાની વિશેષ ટ્રેનો રદ કરાઈ

રાજકોટ : વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરાની વિશેષ ટ્રેનો 19 એપ્રિલથી રદ કરવામાં આવી છે કોરોના રોગચાળાને લીધે મુસાફરોની સંખ્યા ઓછી હોવાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર દ્વારા આગામી સૂચના સુધી વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર વિશેષ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, આગળની સૂચના સુધી આ ટ્રેનો રદ કરાઈ હોવાની વિગતો નીચે મુજબ છે. 1. ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ વિશેષ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ થઈ. 2. ટ્રેન નંબર 09257 અમદાવાદ-વેરાવળ વિશેષ ટ્રેન 20 એપ્રિલ, 2021 થી રદ થઈ. 3. ટ્રેન નંબર 02960 જામનગર-વડોદરા સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ થઈ. 4. ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ થઈ.કરાઈ છે

(8:17 pm IST)