Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

23મી પછી મોદી પૂર્વ વડાપ્રધાન કહેવાશે :ઉત્તર ગુજરાતમાં સભા ગજવતાં અહેમદ પટેલના પ્રહાર

સિદ્ધપુરનાં છાપી,સાબરકાંઠાના વિજયનગરમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતાએ ઝેડ પ્લસ કેટેગરીની સુવિધાસ સામે સવાલ ઉઠાવ્યા

 

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ટ્રેઝરર અહેમદ પટેલે ઉત્તર ગુજરાતમાં સભાઓ સંબોધી હતી. જેમાં પ્રથમ સિદ્ધપુરનાં છાપી ખાતે સભા સંબોધી હતી. ત્યારબાદ અહેમદ પટેલે સાબરકાંઠા લોકસભા બેઠકનાં વિજયનગર ખાતે પ્રચારનું શસ્ત્ર અજમાવીને સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં.

સાબરકાંઠાના વિજયનગર ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ. જેમાં અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સાબરકાંઠા લોકસભાના ધારાસભ્યો, જીલ્લા પ્રમુખ અને લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં અહેમદ પટેલે જણાવ્યુ કે 23મી મે પછી મોદી માજી વડાપ્રધાન કહેવાશે. ભરૂચમાં પણ કોંગ્રસની જીતવાની તકો વધી ગઈ છે. સાથે અહેમદ પટેલે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા સામે પણ સવાલો સર્જયા હતા .

(12:41 am IST)