Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચોકીદાર તો નેપાળથી લઇ આવશું, પ્રજાને પ્રધાનમંત્રીની જરૂર છેઃ ડરવાની જરૂર નથી સુરક્ષા કોંગ્રેસની પ્રાથમિકતાઃ હાર્દિક પટેલ

પાટીદારોના ગઢ મહેસાણાના માણસાના વિહારમાં જંગી સભાને સંબોધતો હાર્દિક પટેલ

મહેસાણા તા. ૧૮: લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. ત્યારે પાટીદારના ગઢ ગણાતા મહેસાણામાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એ. જે. પટેલના પ્રચાર અર્થે હાર્દિક પટેલે માણસા તાલુકાના વિહાર ખાતે સભા યોજી હતી.

સભામાં હાર્દિક પટેલે જનમેદનીને સંબોધતા કહ્યું કે દેશની પ્રજાને ચોકીદારની જરૂર નથી. ચોકીદાર તો અમે નેપાળથી લાવી દઇશું. પ્રજાને પ્રધાનમંત્રીની જરૂર છે. ભાજપના નેતાઓ વિકાસની વાત કરતા નથી. ભાજપ વાળા ડરાવે છે કે કોંગ્રેસની સરકાર આવશે તો લોકોની સલામતી નહીં રહે. પણ કોઇએ ડરવાની જરૂર નથી. અમારી સરકાર બની તો અમે પહેલું કામ સુરક્ષા આપવાનું કરીશું. તેમ અંતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું.

(3:35 pm IST)