Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આકરા તાપ માટે તૈયાર રહો : કાલથી ફરીથી વધશે ગરમી

અમદાવાદ, તા. ૧૮ : રાજયમાં માવઠાને કારણે ઠંડક પ્રસરી ગઇ છે જેના કારણે મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન નીંચુ આવતા ગરમી દ્યટી છે. બુધવારે અમદાવાદમાં વાદળિયું વાતાવરમ રહ્યું હતું. શહેરમાં ઠંડા પવન આવવાને કારણે મહત્ત્।મ તાપમાન ૫.૨ ડિગ્રી ગગડીને ૩૪.૬ ડિગ્રી નોંધાઇ હતી. જયારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારથી એટલે આવતી કાલથી રાજયમાં ગરમી વધવાની શકયતાઓ છે.  બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડામાં મૃત્યું પામેલા પરિવારને સહાયની મદદ કરી હતી. મહત્વનું છે કે મંગળવારે આવેલા વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારજનોને રાજય સરકારના રૂ.બે લાખ અને કેન્દ્ર સરકાર બે લાખ એટલે કુલ ચાર લાખ સહાયપેટે ચૂકવશે.  મંગળવારે વાવાઝોડા, વીજળી પડવાને કારણે રાજયમાં ૧૧ નાગરિકોના મૃત્યું થયા હતા. આ કુદરતી આફતમાં જે નાગરીકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા બે લાખની સહાય આપવાનું જાહેર કર્યું હતું. વાવાઝોડાને પરીણામે જે વિસ્તારોમાં ખેતીને નુકશાન પહોંચ્યુ છે તેનો સર્વે કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સુચના આપ્યાનું જણાવતા રૂપાણીએ સર્વે બાદ જરૂરિયાત મુજબ તેમાં પણ સહાય આપવાનું ઉમેર્યુ હતુ. વાવાઝોડાને કારણે જેમણે જીવ ગુમાવ્યો છે તેવા નાગરીકોના પરિવારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.બે લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તે પણ ચૂકવવામાં આવશે. વાવાઝોડા અને માવઠાને કારણે ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ખેતરના ખળાથી લઈને માર્કેટયાર્ડમાં વેચવા માટે મૂકેલા કપાસ, તમાકુ, જીરું, દ્યઉં જેવી જણસીઓને નુકશાન પહોંચ્યાના અહેવાલો છે.

(3:35 pm IST)