Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મહીસાગરના સંતરામપુર સબ જેલમાં આરોપી કેદીનું જેલની બેરેકમાં મોત

સબ જેલમાં 307ના એક જ કુટુંબના 8 આરોપી પૈકી 1 આરોપી કેદીનું મોત થતા તેની પત્નીની તબિયત લથડી

મહીસાગરના સંતરામપુર સબ જેલમાં 307ના એક જ કુટુંબના 8 આરોપી પૈકી 1 આરોપી કેદીનું જેલની બેરકમાં જ મોત નીપજ્યું છેકેદીનું જેલમાં મોત થયેલુ જણાતા જેલગાર્ડ દ્વારા મૃતકને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ગોવિંદભાઇને મૃત જાહેર કર્યા હતા.

    ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ દોડી આવી હતી. જેલમાં કેદીનું મોત થતા મરનારની પત્નીની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેદીનાં મોતને લઇને કેદીઓએ જેલમાં સુવિધા અંગે બુમાબુમ કરી મૂકી હતી.

(11:54 pm IST)