Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઉમરેઠના રતનપુરામાં સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

ઉમરેઠ: તાલુકાના રતનપુરા ગામના પ્રેમીપંખીડાએ ગઈકાલે રાત્રીના સુમારે હવે સાથે નહીં રહેવાય તેમ માનીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર રતનપુરા ગામે રહેતા પંકજભાઈ રમેશભાઈ સોલંકી (ઉ. વ. ૨૧)ને ગામમાં જ રહેતી સોનલબેન રમેશભાઈ પરમાર નામની ૨૦ વર્ષીય યુવતી સાથે એકાદ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. અને બન્ને જણાં ભાગી પણ ગયા હતા પરંતુ પરિવારજનોની સમજાવટથી પરત આવ્યા હતા અને સમાધાન થઈ ગયું હતુ. દરમ્યાન સોનલબેનના પરિવારજનોએ ગત મે માસમાં ભરોડા ખાતે લગ્ન કરાવી દીધા હતા.

(5:28 pm IST)