Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવેલ કચરાપેટીની વ્યવસ્થામાં યોગ્ય કામગીરી ન થતી હોવાની ફરિયાદ

અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સૂકા અને ભીના કચરા માટે રોડ પર ડસ્ટબીન તો ગોઠવી દેવાઇ છે પરંતુ તેમાંથી નિયમિતપણે કચરો ઉપાડાતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

સારંપરપુરથી રાયપુર, આસ્ટોડિયા, ખાડિયા સહિતના આજુબાજુના રોડ પર આ સ્થિતિ જોવા મળી રહી છે. આજે રવિવારે રોડ પરની તમામ કચરા પેટીઓ ભરચક પડી હતી. તેમાંથી કચરો ઉપાડાયો નહોતો. આ સ્થિતિમાં રાહદારીઓએ ડસ્ટબીનની પાસે જ કચરો ફેંકીને જતા રહેવાની ફરજ પડી હતી.

 

(5:25 pm IST)