Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ: દેણદારને અઘટિત પગલું ભરવાની નોબત આવી

સાબરકાંઠા: અને અરવલ્લી જિલ્લામાં કેટલાક જરૃરીયાત મંદોની પોતાની આવક કરતા જાવક વધુ હોવાને કારણે તેઓ શાહુકારો પાસેથી માસિક વ્યાજ આપીને નાણા લે છે પરંતુ તેઓ સમયસર રકમ ભરપાઈ ન કરી શકતા વ્યાજખોરો દેણદાર સાથે અસભ્ય અને ઉધ્ધતાઈભર્યુ વર્તન કરીને તેની જીંદગી જીવવાનુ દોહલુ બનાવી દેતા હોવાને કારણે કેટલાક કિસ્સાઓમાં દેણદાર વગર વિચાર્યુ પગલુ ભરતા હોવાથી તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મળી નાણાનો ધીરધાર કરનાર શાહુકારોની સંખ્યા ૪૮૩ છે જે પૈકી કેટલાક શાહુકારો વ્યાજખોર તરીકે બદનામ થતા હોવા છતા તેઓ દેણદારને છોડતા નથી.

(5:25 pm IST)