Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અલ્પેશ કથીરિયાને છોડાવવા તમામ પ્રયત્નો કરાશેઃ હાર્દિક પટેલ

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સ્નેહમિલન યોજાયું

અમદાવાદ, તા. ૧૮ :. ગઈકાલે અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલનના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયુ હતું. જેમાં હાર્દિક પટેલે સ્નેહ મિલનમાં પાટીદાર કાર્યકર્તાઓ અને પરિવારજનોને સંબોધિત કરતા જણાવ્યુ કે અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવાના પ્રયત્નો ચાલે છે અને તમામ પ્રયત્નો કરવામાં આવશે. અલ્પેશ કથીરિયાનો જેલમાંથી છૂટકારો ન થાય ત્યાં સુધી પોતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર રહેશે.

પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને ન્યાય અપાવવા અને પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા માટેની અમારી લડાઈ ચાલુ જ રહેશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવેલ કે કોઈ પણ સરકાર ૫૦ વર્ષ સુધી ચાલતી નથી. જ્યારે દિલ્હી અને પ્રદેશમાંથી સરકાર બદલાશે ત્યારે જરૂર ન્યાય મળશે. જો કે ભાજપમાં જોડાય તો લોકો કહેશે વહેંચાય ગયો...

(3:53 pm IST)