Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

શંકરસિંહ વાઘેલા કે મહેન્દ્રસિંહ લોકસભાની ચૂંટણી નહીં લડે

રાજકોટ, તા. ૧૮ :. એનસીપીના રાષ્ટ્રીય આગેવાન શંકરસિંહજી વાઘેલા ગોધરાથી લોકસભા ચૂંટણી લડશે અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સાબરકાંઠા ભાજપના નિશાન પર ચૂંટણી લડશે તેવા અહેવાલો છેલ્લા એક અઠવાડીયાથી અખબારી જગતમાં ચમકે છે ત્યારે બાપુના અત્યંત નજીકના વર્તુળો એવુ કહી રહ્યા છે કે બાપુ લોકસભા ચૂંટણી નથી લડવાના કે નથી તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોઈ પક્ષમાંથી ચૂંટણી લડવાના. બાપુ ભાજપની સામે ગઠબંધન વધુ મજબુતાઈથી પ્રદર્શન કરે તેવા એક માત્ર ઉદ્દેશથી લોકસભા ચૂંટણીમા કામગીરી કરશે.(૨-૨૪)

(3:49 pm IST)