Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ સંસદીય દળની બેઠકમાં ગોવાના મુખ્યમંત્રી સ્વ મનોહર પરિકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ: ઓમ માથુર, વિજયભાઈ રૂપાણી સહિતની ઉપસ્થિતિ

ગાંધીનગર ::ભારતીય જનતા પાર્ટી ની પ્રદેશ સંસદીય દળ ની બેઠકમાં ગોવા ના મુખ્યમંત્રી સ્વ.મનોહર પરિકરજી ના દુઃખદ  અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો.

પ્રદેશ પ્રભારી ઓમજી માથુર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણી સહિત ના અગ્રણીઓ એ આ શોક પ્રસ્તાવ માં સ્વ.પરિકરજી ને શ્રધાંજલિ પાઠવતા  સદ્દગત ની જાહેર જીવન ની નિષ્ઠા  પ્રમાણિકતા અને ઉચ્ચ નીતિમત્તા ની મિસાલ ભારતીય જનતા પાર્ટી જ નહીં પરન્તુ સૌ રાજકીય પક્ષો અને જાહેર જીવન સાથે સંકળાયેલાઓ માટે સદાકાળ પથદર્શક રહેશે તેમ જણાવ્યું હતું.

મનોહર પરિકરજી એ ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી તરીકે આપેલી સેવાઓ તેમજ રક્ષા મંત્રી તરીકે તેમના નેતૃત્વ માં સેનાએ કરેલી સર્જીકલ સટ્રાઇક ભારત માતા ની શક્તિ અને સેનાની રાષ્ટ્ર ભક્તિ નું આગવું ઉદાહરણ છે તેમ પણ સદ્દગત ને ભાવાંજલી આપતા ઉમેર્યું હતું.

સ્વ.મનોહર પરિકરજી ના આત્મા ની પરમ શાંતિ ની પ્રાર્થના પણ સૌ એ આ બેઠક માં કરી હતી.

(11:20 am IST)