Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાસનું સ્નેહમિલન કે હાર્દિક અને કોંગ્રેસનો કાર્યક્રમ ?: :હાર્દિક વ્યક્તિગત મંચ્છા પુરી કરવા કોંગ્રેસમાં જોડાયો

હવે હાર્દિક પણ જ્યાં જ્યાં જશે ત્યાં તેણે સમાજના લોકોનો રોષનો સામનો કરવો પડશે.:દિનેશ બાંભણીયા

અમદાવાદ ;અમદાવાદમાં પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે બઘડાટી સર્જાઈ હતી આ મુદ્દે પાટીદાર નેતા દિનેશ બંભાણીયાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ પાસ સ્નેહ મિલનના બદલે હાર્દિક પટેલ અને કોંગ્રેસનો હોવાનું પાસના કાર્યકરોને લાગ્યું. હાર્દિક પટેલ પોતાની વ્યક્તિ ગત મનછા પુરી કરવા રાજકારણમાં જોડાયો તેથી પાસના કેટલાક કાર્યકરો નારાજ છે. આવું તો થવાનું જ હતું,

    દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે હાર્દિક હંમેશા સમાજ માટે લડવા માંગુ છું તેમ કહેતો હતો, અને તે ક્યારે પણ કોઈ રાજકીય પક્ષ સાથે નહી જોડાઉ તેવું કહેતો હવે તેણે કોંગ્રેસનો હાથ પકડી લેતા રોષનો ભોગ તો બનવું જ પડશે. આ પહેલા પણ પાસના જે કાર્યકર્તાઓ પાસ છોડી રાજકારણમાં જોડાયા તેમણે સમાજનો રોષનો સામનો કરવો પડ્યો, તો હવે હાર્દિક પણ જ્યાં જ્યાં જશે ત્યાં તેણે સમાજના લોકોનો રોષનો સામનો કરવો પડશે.

(7:44 pm IST)