Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વિરમગામ -સાણંદ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત : લખતર તાલુકા ભાજપ પ્રમુખનું મોત : બે બાળકો સહીત પાંચ ઈજાગ્રસ્ત

અમદાવાદઃ વિરમગામ-સાણંદ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં લખતર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ રાણાનું મોત નિપજ્યું છે. જયારે બે બાળકો સહીત પાંચ લોકોને ઇજા પહોંચી છે

 

   મળતી વિગત મુજબ અમદાવાદ પાસે વિરમગામ અને સાણંદ વચ્ચેના હાઈવે પર જખવાડા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત થતા બંને કારના આગળના ભાગનો કુચડો વળી ગયો હતો. અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જેની ઓળખ લખતર તાલુકા ભાજપ પ્રુમખ તરીકે થઈ હતી. તેમનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. અન્ય કારમાં 2 બાળકો સહિત 5 લોકોને ઈજાઓ થઈ છે.

   આ અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ અજીતસિંહ રાણા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)