Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ડોનલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને પણ થંભાવી દેવાશે

આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બંન્ને બાજુ તૈનાત કરાશે

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. આ કાફલો રિવરફ્રન્ટ, શિલાલેખ ટાવર, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે. ત્યારે રિવરફ્રન્ટ પર આવતા રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. જેના માટે આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બંન્ને બાજુ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે. જેઓ ટ્રમ્પના કાફલાનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેન ચલાવવા અંગે મંજૂરી આપશે. ત્યારબાદ જ ત્યાં ઊભી રખાયેલી ટ્રેનને આગળ વધારવામાં આવશે.

(1:32 pm IST)