Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વિધાનસભા કાર્યવાહી દરમિયાન પ્રજાકિય પ્રશ્નો ઉઠાવવા કોંગ્રેસ ધારાસભ્યોને કહેવાયું

ગાંધીનગર : આવતીકાલથી મળી રહેલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને પ્રજાલક્ષી પ્રશ્નો રજુ કરવા અને તેના ઉકેલ માટે ભાર આપવા જણાવાયું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવવા ધારાસભ્યોને જણાવવામાં આવ્યું હતું. આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બજેટ સત્ર દરમિયાન પાટણ કાંડ નિમિત્તે સરકારને ઘેરવા રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસની મળેલી બેઠકમાં ધારાસભ્યોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ, નર્મદાના પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. પાટણ આત્મવિલોપનના મુદ્દે સરકારને કેવી રીતે ઘેરવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(10:08 pm IST)