Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પાટણ આત્મવિલોપન કાંડને કારણે પાલનપુર-અમદાવાદ વચ્‍ચેની અેસ.ટી. સેવા ખોરવાઇઃ સુરક્ષા માટે રૂટ બંધ કરી દેવાયાઃ અનેક મુસાફરો અટવાયા

પાટણમાં દલિત આત્‍મવિલોપનના ઘેરા પડઘા પડ્યા છે અને દલિત સમાજે આ મુદ્દે આક્રોશ વ્‍યક્ત કર્યો છે ત્‍યારે અેસ.ટી. વિભાગે સુરક્ષા માટે પાલનપુર અને અમદાવાદ વચ્‍ચેની બસ સેવા બંધ કરી દીધી છે.

અમદાવાદ ઊંઝા હાઇવે પર ચક્કાજામ થતા પાલનપુર એસ ટી વિભાગે અમદાવાદ તરફ જતા તમામ એસ ટી ના રૂટ બંધ કરી દીધા છે જેથી મુસાફરો અટવાયા છે. ઊંઝામાં ચક્કાજામને લઈને બનાસકાંઠાથી અમદાવાદ તરફ આવતી બસોને સિદ્ધપુર ખાતે પણ રોકી દેવામાં આવી છે. બસો બંધ થવાને લઈને મહિલાઓ, વૃદ્ધોએ સૌથી વધુ પરેશાની વેઠવી પડી છે.

 

(5:39 pm IST)