Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમદાવાદ જીલ્લાના મટોડા અને મોડાસર ગામમાં કોંગ્રેસ દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ જનસંપર્કમાં જોડાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જનસંપર્ક હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જીલ્લાના મટોડા અને મોડાસર ગામમાં કોંગ્રેસ દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો હતો.
  જન જનની વાતને વાચા આપવા મહા જનસંપર્ક અભિયાન અંર્તગત ગુજરાત કોંગ્રેસ પ્રભારી
રાજીવ સાતવ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા  સાથે અમદાવાદ જિલ્લાના મોડાસર અને મટોડા ગામે જનસંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું.

(6:09 pm IST)