Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સોલધરા ઇકો પોઇન્ટના તળાવમાં બોટ પલટી જતા 5 લોકોના મોત

અમદાવાદ અને સુરતથી ફરવા આવેલા 2 પરિવારો બોટિંગ કરવા ગયેલા : ઓવરલોડના કારણે બોટ કિનારે જ પલટી ગઈ

નવસારી: જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ઇકો પોઇન્ટના કુત્રિમ તળાવમાં બોટ પલટી જતા 5 લોકોના મોત થયા છે

  મળતી વિગત મુજબ અમદાવાદ અને સુરતથી ફરવા આવેલા 2 પરિવારો ચીખલી તાલુકામાં આવેલા સોલધરા ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરવા ગયા હતા. આ દરમિયાન ઓવરલોડના કારણે બોટ કિનારે જ પલટી મારી હતી

   આ ઘટના જાણ થતાં ચીખલી પોલીસ સહિત ગણદેવી અને બીલીમોરા ફાયર વિભાગનો કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું

આ અંગેની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને ગણદેવીના ધારાસભ્ય પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. હાલ ચીખલી પોલીસે ઇકો પોઇન્ટના સંચાલક અશોક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(12:01 pm IST)