Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજપીપળા ઇન્ડિયન બેંક અલાહબાદના ફિલ્ડ જનરલ મેનેજર દ્વારા ૩૦ જેવા જરૂરીયાતમંદોને અનાજની કીટ તથા ધાબળાનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઇન્ડિયન બેંક  અલાહાબાદ રાજપીપળા બ્રાંચમાં ફિલ્ડ જનરલ મેનેજર  સંદીપકુમાર ગુપ્તા આવ્યા હોય તેમણે કોર્પોરેટ સોસાયટી રિસ્પોન્સિબિલિટી હેઠળ જરૂરીયાતમંદ લોકોને આ મંદીના સમય મા બ્લેન્કેટ અને અનાજની કીટનું વિતરણ કર્યું હતું, તેઓએ ૩૦ જેટલા જરૂરિયાતમંદો ને બ્લેન્કેટ તથા અનાજ કીટનું વિતરણ કર્યું, તથા તેઓએ બેંક ધારકોની પણ મુલાકાત લીધી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે કસ્ટમર અમારી સર્વિસથી સંતુષ્ટ છે અને અમે તેમને વધારે સુવિધા આપવા માટે તત્પર છીએ અત્યારે કોરોનાના સમયમાં અમે તમને મદદ કરવા માટે આગળ આવ્યા છીએ અને અમારી બધી બ્રાંચમાં આ પ્રમાણે બધા મદદ કરી રહ્યા છે. અમે આ પ્રમાણે જ બધાની મદદ કરતા રહીશું તે માટે અમે પ્રયત્નશીલ છીએ.

(11:04 am IST)