Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સીએએના વિરોધમાં ગાંધી શાંતિ યાત્રા અમદાવાદ આવી પહોંચી: ધારા144નું ઉલ્લંઘન કરી કાઢી રેલી

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા અને પૂર્વ સીએમ સુરેશ મહેતાએ સવિનય કાનૂન ભંગ કર્યો : રેલીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા સહિતના જોડાયા

 

અમદાવાદ : સીએએના વિરોધમાં નીકળેલી ગાંધી શાંતિ યાત્રા અમદાવાદમાં પહોંચી હતી.અને શહેરના લૉ ગાર્ડનથી વીર કિનારીવાળા સ્મારક સુધી રેલી કાઢવામાં આવી હતી  જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ સવિનય કાનૂન ભંગ કર્યો હતો તેમણે ધારા 144નું ઉલ્લંઘન કરીને રેલી કાઢી હતી

 . રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા પણ રેલીમાં જોડાયા. જોકે કોઈ અનિચ્છનિય ઘટના બને તે માટે પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો.

(11:39 pm IST)