Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વડોદરાના કિશનવાડી નજીક પત્ની સાથે આડા સંબંધની શંકા કરી બુટલેગરે યુવક પર પેટ્રોલ છાંટી લાશને સળગાવી દેતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કિશનવાડી વુડાના  મકાનમાં રહેતા યુવકને આડા સંબંધની અદાવતે પોતાના ઘરે લઈ જઈ લાકડાના ડંડા વડે માર મારી બુટલેગરે મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેની લાશને કોથળામાં ભરી રીક્ષામાં હાલોલ નજીકના વેજલપુર ગામની સીમમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં બુટલેગર અને તેના બે સાગરિતોને ઝડપી પાડયા છે.

આ અંગેની પોલીસ સુત્રો દ્વારા મળતી વિગત એવી છે કે કિશનવાડી વુડાના મકાનમાં રહેતો ૩૦ વર્ષનો રૃષાંક ઉર્ફે નંદુ રઘુનાથભાઈ મલવંકર બેકરીમાં નોકરી કરે છે. આ જ વિસ્તારમાં દારૃનો ધંધો કરતા અનિલ ઉર્ફે અન્નુ ભગવાનદાસ રાજપૂતની પત્ની સાથે નંદુને સંબંધ હોવાની શંકા અન્નુને હતી. જે બાબતે અવારનવાર બંને વચ્ચે બોલાચાલી પણ થતી હતી. ગઈકાલે સવારે ૧૦ વાગ્યે બુટલેગર અન્નુ રૃષાંક ઉર્ફે નંદુના ઘરે ગયો હતો. અને આપણે રાજપીપળા મરણમાં  જવાનું છે તેવું કહીને નંદુને પોતાની સાથે ઘરે લઈ આવ્યો હતો. 

 

(5:13 pm IST)