Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સુરતના અડાજણમાં પતિને દારૂ છોડાવવામાં નાસીપાસ થયેલ પત્નીએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

સુરત:અડાજણમાં પતિ-પત્ની વચ્ચે દારૂને થયેલા ઝઘડામાં નાસીપાસ થઇ ગયેલી પત્નીએ ગઈકાલે સાંજે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ અડાજણગામમાં ચૈતાલી એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય ભગવતીબેન વિક્રમ મહાવીરસિંહ નાથાવતએ ગઈકાલે સાંજે ઘરમાં રસોડામાં છતના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ભગવતીબેન મૂળ રાજસ્થાનના રેનવાલા ખાતેના ખુલેસના વતની હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ સચિન જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે.ભગવતીબેનના પતિને દારૂ પીવાની ટેવ હોવાથી છેલ્લા કેટલાક સમયથી પત્ની તેમને દારૂ છોડવા માટે કહેતા હતા આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતી હતી. ગઈ તારીખ 16મીએ પણ મોટે દંપતી વચ્ચે  દારૂને લઇને રકઝક થઈ હતી.

(5:11 pm IST)