Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આકોલામાં પૂ. ધીરજમુનિની પધરામણીઃ સ્વાગતઃ શિબિર પ્રવચન

રાજકોટઃ શ્રી આકોલા (વિર્દભ) સ્થા. જૈન સંઘ કે.કે. બાવીસી- જૈન ભવન ખાતે પ્રથમવાર પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા. પધારતા મંગલપ્રભાતે નવકારશી બાદ કળશધારી, સુવાકયધારી બેનર સહિત બહેનો અને સંઘના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સંઘપ્રમુખ  કનકભાઇ શાહે પૂ. ગુરૂદેવની પરિચય વિધિ કરાવેલ. પ્રાણ મહિલા મંડળે ગુરૂભકિત ગીત અને સ્વાગત શુભેચ્છા શબ્દાવલીની વિવેચના કરેલ. પૂ. મુકત લીલમ પરિવારના પૂ. પુનિતાજી મ.સ., પૂ. ઝરણાજી મ.સ. અને પૂ. નયનાબેન મ.સ. આદિ ઠાણાનું મિલન થયેલ. કાલે તા.૧૯ને રવિવારે સવારે ૯ થી ૧૧ :૩૦ કલાકે રત્નાકાર પચ્ચીશી શિબિર પ્રવચન બાદ સંઘ જમણ યોજાશે. તા.૨૬ સુધી સ્થીરતા થશે. ત્યારબાદ અમરાવતી નાગપુર તરફ પધારશે.

(3:47 pm IST)